બ્રહ્મચર્ય વિષે સુભાષિત | Brahmcharya Vishe Shubhashit

(દોહરા)

નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન;
ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧

આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ;
એ ત્યાગી, ત્યાગ્યું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨

એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર;
નૃપતિ જીતતાં જીતીયે , દળ, પુર ને અધિકાર. ૩

વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન;
લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪

જે નવ વાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાયી;
ભવ તેનો લવ પછી રહે, તત્વવચન એ ભાઈ. ૫

સુંદર શિયળ સુરતરૂ, મન વાણી ને દેહ;
જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬

પાત્ર વિના વસ્તુ ના રહે, પાત્રે આત્મિક જ્ઞાન.
પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. ૭

Artist: શ્રીમદ્દ રાજચંદ્ર

3 Likes